ભાવનગર થી મથુરા જઈ રહેલી બસનો રાજસ્થાન પાસે અકસ્માત ૧૧ વ્યક્તિના મોત

  • September 13, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી


આ બસ ગુજરાતના ભાવનગરથી ઉપડી હતી અને મથુરા તરફ જઈ રહી હતી


રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ટ્રકની અડેફેટે આવતા બસમાં સવાર 11 લોકો મૃત્યુ પામી ગયા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 20થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર આ બસ ગુજરાતના ભાવનગરથી ઉપડી હતી અને મથુરા તરફ જઈ રહી હતી. 


મળતી માહિતી અનુસાર યાત્રીઓથી ભરેલી આ બસ ગુજરાતથી મથુરા જઈ રહી હતી ત્યારે જયપુર-આગરા હાઈવે પર નદબઈ પોલીસ સ્ટેશનની હદમાં જયપુર આગરા નેશનલ હાઈવે પર હન્તરા પુલ નજીક બસ બગડી હતી. ડ્રાઇવરે ત્યારે બસને ઊભી કરી દીધી હતી અને તેનું રિપેરિંગ કરી રહ્યો હતો. ત્યારે એકાએક આવેલા એક ટ્રકે બસને ટક્કર મારી હતી જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી. 


ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા 

પોલીસે આપેલી માહિતી અનુસાર 11 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અમુક લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. 


     મૃતકોના નામ


અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ

નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ

લલ્લુભાઈ દયાભાઈ ગયાણી

ભરત ભાઈ ભીખા ભાઈ

લાલજી ભાઈ મનજી ભાઈ

અંબાબેન જીણાભાઈ

કંબુબેન પોપટભાઈ

રામુબેન ઉદાભાઈ

મધુબેન અરવિંદભાઈ દાગી

અંજુબેન થાપાભાઈ

મધુબેન લાલજીભાઈ ચૂડાસમા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application