પેડ્ડાપલ્લી જિલ્લામાં માલગાડીના ૧૧ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ દિલ્હી–ચેન્નઈ રેલ્વે લાઇન પર ટ્રાફિકમાં ભારે વિક્ષેપ થયો છે. રેલવે કર્મચારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમારકામ શરુ કયુ હતું.
આ અંગે મળતી માહિતી મુજબ, ગાઝિયાબાદથી કાઝીપેટ જઈ રહેલી આ માલગાડીમાં લોખંડની કોઈલ હતી. યારે પેડ્ડાપલ્લી જિલ્લાના રાઘવપુર અને કનાલ વચ્ચે તે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ કલાકો સુધી ટ્રેનો અટવાઈ રહી હતી જેના કારણે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો.
માલસામાન ટ્રેનના ૧૧ ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે દિલ્હી–ચેન્નઈ મુખ્ય રેલવે લાઇન પર ટ્રેનની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. માત્ર સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનો જ નહીં પરંતુ એકસપ્રેસ, પેસેન્જર ટ્રેનો અને અન્ય માલસામાન ટ્રેનો પણ પાટા પર અટવાઈ રહી હતી. આ સમયગાળા દરમિયાન મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડો હતો અને ઘણી ટ્રેનોની ગતિ ઘણી ધીમી થઈ ગઈ હતી અથવા તે અધવચ્ચે જ બધં થઈ ગઈ હતી
અકસ્માતને કારણે ઘણી ટ્રેનો તેના નિર્ધારિત સમયથી કલાકો પાછળ દોડવા લાગીરેલવે કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી
દુર્ઘટના બાદ રેલ્વે પ્રશાસનને ઘટનાની જાણકારી મળી અને તુરતં જ રેલ્વે કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. કામદારોએ વહેલી તકે રસ્તો ખુલ્લો કરવા માટે સમારકામની કામગીરી શ કરી હતી. જો કે, આ અકસ્માતને કારણે, ટ્રાફિક વિલંબને કારણે, ઘણી ટ્રેનો તેના નિર્ધારિત સમયથી કલાકો પાછળ દોડવા લાગી હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસને આગામી થોડા કલાકોમાં આ દુર્ઘટનાને પહોંચી વળવા માટે ઘણા પગલાં લીધા હતા. આ ઘટના રેલ્વેની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કરે છે કારણ કે માલગાડીઓના મોટા અકસ્માતોને કારણે મુસાફરો અને માલસામાન બંનેના સમય અને માલસામાનને અસર થાય છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસને આ અકસ્માતની તપાસ શ કરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય અને રેલવે ટ્રાફિકને વધુ સુરક્ષિત બનાવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech