રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ૧૦૦૦ ટ્રાફિક પોલીસની ભરતી થશે

  • February 02, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન આમ તો અત્ર, તત્ર, સર્વત્ર જેવો છે રાજયના ચાર મહાનગરોમાં ટ્રાફિક સમસ્યા વધુ પેચિદી છે. દિવસો દિવસ વધી રહેલી જનસંખ્યા અને વાહનોના વધારાને લઈને આ સમસ્યા વકરવા તરફ છે. લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મહદઅંશે મુકિત મળે તે દિશામાં રાજય સરકાર દ્રારા આ બજેટમાં જોગવાઈ ઉપલબ્ધ કરાઈ છે.
ગૃહવિભાગને ફાળવાયેલા નાણાઓ પૈકી ૫૭ કરોડ રૂપિયા રાજકોટ સહિતના ચાર મહાનગરોમાં ૧,૦૦૦ નવી ટ્રાફિક પોલીસની જગ્યા માટે ખર્ચવામાં આવશે.
રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ આ ચાર મહાનગરોમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે સુગમ યોજના હેઠળ નાણા ફાળવાયા છે.

હાલ આ ચારેય મહાનગરોમાં જે ટ્રાફિક અધિકારીઓથી લઈ કર્મચારીઓ કાર્યરત છે તેમાં સ્ટાફમાં વધારો થાય તો ટ્રાફિક વ્યવસ્થા વધુ સારી રીતે જળવાઈ શકે તેવા હેતુસર માત્ર ટ્રાફિક વ્યવસ્થા માટે જ ૧,૦૦૦ પોલીસની નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે અને આ ૧૦૦૦ નવા સ્ટાફની ચારેય મહાનગરોમાં જરૂરિયાત મુજબ ફાળવણી કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application