ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન આમ તો અત્ર, તત્ર, સર્વત્ર જેવો છે રાજયના ચાર મહાનગરોમાં ટ્રાફિક સમસ્યા વધુ પેચિદી છે. દિવસો દિવસ વધી રહેલી જનસંખ્યા અને વાહનોના વધારાને લઈને આ સમસ્યા વકરવા તરફ છે. લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મહદઅંશે મુકિત મળે તે દિશામાં રાજય સરકાર દ્રારા આ બજેટમાં જોગવાઈ ઉપલબ્ધ કરાઈ છે.
ગૃહવિભાગને ફાળવાયેલા નાણાઓ પૈકી ૫૭ કરોડ રૂપિયા રાજકોટ સહિતના ચાર મહાનગરોમાં ૧,૦૦૦ નવી ટ્રાફિક પોલીસની જગ્યા માટે ખર્ચવામાં આવશે.
રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ આ ચાર મહાનગરોમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે સુગમ યોજના હેઠળ નાણા ફાળવાયા છે.
હાલ આ ચારેય મહાનગરોમાં જે ટ્રાફિક અધિકારીઓથી લઈ કર્મચારીઓ કાર્યરત છે તેમાં સ્ટાફમાં વધારો થાય તો ટ્રાફિક વ્યવસ્થા વધુ સારી રીતે જળવાઈ શકે તેવા હેતુસર માત્ર ટ્રાફિક વ્યવસ્થા માટે જ ૧,૦૦૦ પોલીસની નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે અને આ ૧૦૦૦ નવા સ્ટાફની ચારેય મહાનગરોમાં જરૂરિયાત મુજબ ફાળવણી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech