ભાવનગર : પિતાને માર ન મારવાનું કહેનાર યુવાન પર ઘાતક હુમલો કરનાર શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદ

  • October 04, 2023 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગારિયાધારમાં દોઢેક વર્ષ પૂર્વે બનેલી ઘટના અંગેના કેસમાં સરકારીધારાશાસ્ત્રી મનોજ જોષીની દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ ન્યાયમૂર્તિ એલ. એસ. પીરઝાદાએ આપેલો ચુકાદો


ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામે  પિતાને માર મારી રહ્યો હતો ત્યારે એક યુવાને તેમ ન કરવાનું કહેતા શખ્સે  ઉશકેરાઈ જઈ યુવાન પર ઘાતક હુમલો કરવાના કેસમાં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટએ શખ્સને ૧૦વર્ષની સખ્ત કેદ ફટકારી હતી.


કેસ અંગેની ઉપલબ્ધ ટુંક વિગત મુજબ ગારિયાધારના આશ્રમ રોડ પર વણકરવાસમાં રહેતો પ્રદીપ મોહનભાઇ જામલીયા ગત તારીખ ૨૪-૬-'૨૨ના રોજ પોતાના પિતા મોહનભાઇ જામલીયા સાથે ઝઘડો કરી માર મારી રહ્યો હોય આજ વિસ્તારમાં રહેતા વિજયભાઈ વણજારા (ઉ. વ.૨૩) પ્રદીપને સમજાવવા જતા પ્રદીપે ઉશકેરાઈ જઈ વિજયભાઈના ગુપ્ત ભાગે છરીના ઘા ઝીંકી દેતા વિજયભાઈને ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મોત નીપજ્યું હતું. જે અંગે મૃતક વિજયભાઈના પિયા સુરેશભાઈ  નારણભાઇ વણજારા (ઉ. વ.૪૩, રે. વણકરવાસ, આશ્રમ રોડ, ગારિયાધાર) એ પ્રદીપ મોહનભાઇ જામલીયા સામે ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી જેતે સમયે પ્રદીપ જામલીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.


આ કેસ અત્રેની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી ધારાશાસ્ત્રી મનોજ જોષીની અસરકારક દલીલો તેમજ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીના આધારે પ્રદીપ મોહનભાઇ જામેલીયાને તકસીરવાન ઠરાવી ૧૦વર્ષની શખ્સ કેદ તેમજ રૂપિયા ૨૦હજારનો દંડ ફટકારી જો આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ૧વર્ષની સજા ભોગવવા હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application