આજી-3 જળાશયનો 1 દરવાજો 0.1 મીટર ખોલાયો, નીચાણવાળા ગામ લોકોને સાવચેત રહેવા સૂચના

  • August 20, 2024 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં આવેલ આજી-3 જળાશયનો 1 દરવાજો 0.1 મીટર ખોલવામાં આવ્યો છે. જેને પગલે નીચાણવાળા ગામ લોકોને સાવચેત રહેવા સૂચના તંત્ર તરફથી આપવામાં આવી છે.


રાજકોટના પડધરી તાલુકા પાસે આવેલ આજી-3 જળાશયમાં વરસાદની આવક વધતા જળાશયનો અગાઉ 1 દરવાજો 0.05 મીટર ખોલવામાં આવ્યો હતો. તેમાં હવે આજે વધારો કરીને હવે 0.1 મીટર કરી દેવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


પડધરી તાલુકાના આ ગામને સાવચેત રહેવા સૂચના

રાજકોટના પડધરી તાલુકા પાસે આવેલ આજી-3 નો દરવાજો ખોલવામાં આવ્યો હતો. આથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખજૂરડી, થોરીયાળી અને મોટા ખીજડીયા  ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application