રામલલ્લાના દરબારમાં ૧.૭૫ કરોડ ભકતોએ શીશ ઝૂકાવ્યુ

  • June 24, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક બાદથી અત્યાર સુધીમાં ૧ કરોડ ૭૫ લાખ ભકતો રામલલાના દર્શન કરી ચુકયા છે. આ મહિનાના અતં સુધીમાં આ સંખ્યા ૨ કરોડ સુધી પહોંચી જશે. રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક રવિવારથી મંદિર પરિસરમાં શ થઈ છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ મંદિર પરિસરમાં ચાલી રહેલા વિવિધ બાંધકામનું સ્થળ નિરીક્ષણ કયુ હતું અને ટેકનિકલ સ્ટાફ પાસેથી બાંધકામ વિશેની તકનીકી માહિતી પણ મેળવી, નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરના નિર્માણની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ સાથે આંતરરાષ્ટ્ર્રીય રામ કથા મ્યુઝિયમના નિર્માણ માટે આગળની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આકરી ગરમીમાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી રહી નથી.

તેમણે કહ્યું કે મંદિરના પહેલા માળનું બાંધકામ જુલાઈના અતં સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાર બાદ બીજા માળનું બાંધકામ ચાલુ રહેશે. મંદિરના ગ્રાઉન્ડ લોરનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં તેને પૂર્ણ કરવાના લય સાથે મંદિર બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. દરમિયાન મંદિરમાં રામકથા આધારિત ભીંતચિત્રો પણ સ્થાપિત કરવામાં આવનાર હોવાનું તેમને ઉમેયુ હતું.


રાજસ્થાનના શિલ્પકારો પ્રતિમાઓ બનાવશે
નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, પહેલા માળે સ્થાપિત થનારા રામ દરબાર અને પરકોટામાં ૬ દેવી–દેવતાઓના મંદિરોની સાથે સંકુલમાં બની રહેલા સ મંડપ મંદિરોમાં સ્થાપિત થનારી મૂર્તિઓ આરસની હશે.તેને રાજસ્થાનના શિલ્પકારો દ્રારા બનાવવામાં આવશે. તેમાંથી ૪ પ્રતિમાઓ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે અને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જે આ મહિનાના અંતમાં ખોલવામાં આવશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application