જામનગર  :  મોટી ખાવડીમાં ઉછીના રૂપીયાની માંગણીના મામલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને માર માર્યો

  • April 29, 2026 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  મોટી ખાવડીમાં ઉછીના રૂપીયાની માંગણીના મામલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને માર માર્યો


સિકકાના શખ્સ સહિત ચાર સામે પોલીસ ફરીયાદ


મોટી ખાવડીમાં ઉછીના દીધેલા રૂપીયાની માંગણીના મામલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને માર માર્યાની ફરીયાદ દાખલ થઇ છે જેમાં સિકકા શખ્સ અને ૩ અજાણ્યા શખ્સોની અટકાયત સહિતની કાર્યવાહી કરવા પોલીસે તપાસ લંબાવી છે. 


મોટી ખાવડીમાં પેટ્રોલપંપ પાછળ રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જયવંતસિંહ અજીતસિંહ ચુડાસમા (ઉ.વ.૩૬) નામના યુવાને ગઇકાલે મેઘપર પોલીસમાં સિકકા દિગ્વીજયગ્રામ સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે સાગર આયર તથા અન્ય ૩ અજાણ્યાની વિરૂઘ્ધ ફરીયાદ નોંધાવી છે.


બે દિવસ પહેલા સવારના સુમારે મોટી ખાવડી માલધારી હોટલની ઉપર ઓફીસમાં આરોપી અશોક પાસેથી ૧૦ હજાર ઉછીના લીધેલ હોય જે ફરીયાદી માંગતા આ વેળાએ અન્ય ૩ ઇસમો આવી જતા ગળાના ભાગે અને આંગળીમાં માર માર્યો હતો, તેમજ અપશબ્દો બોલી નાશી ગયા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application