દેવભૂમિ દ્વારકા : દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃતિ અભિયાન

  • April 21, 2026 05:44 PM 

દેવભૂમિ દ્વારકા : દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃતિ અભિયાન

પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણી તરફ મહત્વપૂર્ણ પગલું


આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.ડબલ્યુ.ડી. નોડલ અધિકારી તથા તેમની ટીમ દ્વારા દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.


આ અભિયાન અંતર્ગત ટીમ દ્વારા દિવ્યાંગ મતદારોને રૂબરૂ મુલાકાત લઇને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે તેમજ તેઓને સરળ અને સુલભ રીતે મતદાન કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તદુપરાંત, મતદાન મથકો (બુથ) પર ઉપલબ્ધ સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી દિવ્યાંગ મતદારોને મતદાન દરમિયાન કોઈ અસુવિધા ન થાય તેમજ જરૂરી હોય ત્યાં સુધારણા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે.


આ પહેલનો મુખ્ય હેતુ દરેક દિવ્યાંગ મતદારોને મતદાનમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો છે અને સર્વસમાવેશક અને સુલભ ચૂંટણીના ઉદ્દેશ્યને સાકાર કરવાનો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દિવ્યાંગ મતદારોને અપીલ કરવામાં આવે છે કે તેઓ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લઇને મતદાન અવશ્ય કરે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News