જામનગરના શંકરટેકરી વિસ્તાર વાલ્મીકી વાસમાં રહેતા એક સફાઇકર્મી યુવાનને કોઇ અગમ્ય કારણસર જંતુનાશક દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે. બીજી બાજુ કયા કારણસર પગલુ ભરી લીધુ એ બાબતે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.
અહીંના શંકરટેકરી વાલ્મીકી વાસમાં રહેતા સફાઇકામ કરતા રામજી કિશોરભાઇ પરમાર (ઉ.વ.૩૬) નામના યુવાને ગત તા. ૨ના રોજ કોઇ અગમ્ય કારણસર કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનુ પોલીસ ચોપડે જાહેર થયુ છે. જેના આધારે સીટી-સી પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા સધન તપાસ હાથ ધરવામાં આવી છે.