↵
જામનગર : મતદાન કરવા જતી વખતે મતદારોએ ચૂંટણીપંચે નિયત કરેલ ઓળખના પુરાવાઓ પૈકી કોઈ એક હાર્ડકોપીમાં સાથે રાખવાનો રહેશે , ડિજિટલ પુરાવાઓ રજૂ કરી શકાશે નહીં.
જામનગર તા.૨૬ એપ્રિલ, જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ -૨૦૨૬ અંતર્ગત સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે.
ત્યારે મતદાન કરવા જતી વખતે મતદારોએ પોતાના ઓળખના પુરાવા તરીકે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ ફોટો ઓળખપત્ર (EPIC) અથવા ચૂંટણી આયોગે માન્ય કરેલ ૧૪ પુરાવાઓ પૈકી કોઈ એક પુરાવો હાર્ડકોપીમાં સાથે રાખવાનો રહેશે. મતદારો ડિજિટલ માધ્યમ થકી પોતાની ઓળખનો પુરાવો આપી શકશે નહીં.
માટે તંત્ર દ્વારા તમામ મતદારો મતદાન કરવા જાય તે દરમિયાન માન્ય પુરાવાઓ પૈકી કોઈ એક ઓળખનો પુરાવો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે.