ભારતનાં ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે દ્વારકાથી એક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે દ્વારકાથી મીઠાપુર સુરજકરાડી ઝંડાચોક ખાતે પુર્ણ થઇ હતી. આ રેલીનું વડવાળા સહિતનાં ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં ગ્રામજનો આ રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. દ્વારકા, મીઠાપુર, સુરજકરાડી, આરંભડા, વરવાળા સહિતનાં ગામોમાં ધજા, પતાકા અને પોસ્ટરોથી શણગાર કરવામાં આવ્યો હતો.