જામનગર એસ.ટી ડેપો ખાતે બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી
દ્વારકા ડેપો મેનેજર મિલનભાઇ રાઠોડના અઘ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
જામનગરમાં તા.૧૪ એપ્રિલના ડો.ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિતે જામનગર ડેપોમાં એસ.ટી મઝદૂર સંઘ જામનગર વિભાગ દ્વારા ડેપો મેનેજર દ્વારકા મિલનભાઇ રાઠોડના અઘ્યક્ષ સ્થાને ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં એડબલ્યુએસ શિખાબેન પંડયા, ટીઆઇ કાપડીભાઇ, એ.ટી.આઇ મનસુખભાઇ, જયુભા હેડમિકેનિક તેમજ એસ.ટી. મઝદૂર સંઘના મહામંત્રી ભીમશીભાઇ ચાવડા, ઉપપ્રમુખ સંજયભાઇ ડોડીયા, કા.મંત્રી સોલંકીભાઇ વાળાભાઇ, નરેશભાઇ ઠાકર, રાહુલસિંહ રોહિતભાઇ જાટીયા, કિર્તીભાઇ જોગલ, ભુપતભાઇ મકવાણા તેમજ અન્ય સંગઠનના મજૂર મહાજનના કા.પ્રમુખ વિરેન્દ્રસિંહ, જયપાલસિંહ તેમજ કર્મચારી મંડળના કા.પ્રમુખ શિવભદ્રસિંહ, રમેશભાઇ ચૌહાણ, હમીરભાઇ વાળા, વિજયભાઇ બાબરીયા, રાજેશભાઇ રાઠોડ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.