↵આગામી રવિવારથી ઇસ્કોન મંદિરે ભગવત ગીતા સાપ્તાહિક કોર્ષ
કલર સ્લાઇડસ શો દ્વારા પ્રવચન, રોમાંચક પ્રશ્ર્નોતરી તેમજ ઘ્યાનની સરળ રીત સમજાવાશે
જામનગરનાં રાજકોટ હાઇવે પર આવેલ ઇસ્કોન મંદિર ખાતે તા.૧૯ એપ્રિલથી ૨૪ એપ્રિલ દરમ્યાન ભગવત ગીતા સાપ્તાહિક કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરની ભાગોળે આવેલ ઇસ્કોન મંદિર ખાતે આગામી રવિવારથી શુક્રવાર દરમ્યાન ભગવત ગીતાની ૬ દિવસીય પદ્ધતિસર અને વૈજ્ઞાનિક સાપ્તાહિક કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલર સ્લાઇડસ શો દ્વારા પ્રવચનો, રોમાંચક પ્રશ્ર્નોતરી, ઘ્યાનની સરળ રીત સમજાવવામાં આવશે.
આ ભગવદ ગીતા સાપ્તાહિક કોર્ષમાં મનુષ્ય જીવનનું ઘ્યેય અને ઘ્યેય પ્રાપ્ત કરવા માટે સાચુ જ્ઞાન કેવી રીતે મેળવવું, આત્માનો વિજ્ઞાન શા માટે વિવિધ શાસ્ત્રો, ધર્મો અને ભગવાન, વિવિધ યોગ પદ્ધતિઓ અને સર્વશ્રેષ્ઠ યોગ પદ્ધતિઓ અને ભગવદ ગીતાનું વ્યવહારિક આચરણ રાખવામાં આવેલ છે.
આ ભગવદ ગીતાની છ દિવસીય પદ્ધતિસરની વૈજ્ઞાનિક રજુઆતમાં પાર્ટીસીપેટ થનાર વ્યકિતએ ફકત ટોકન ચાર્જ આપવાનો રહેશે અને સાપ્તાહિક કોર્ષનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાનો રહેશે. તેમજ દરેક પાર્ટીસીપેટ માટે દિવ્ય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે મો.નં. ૯૭૨૩૪૯૦૬૨૦ જીવનકૃષ્ણદાસજીનો સંપર્ક કરવો.