યુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ

  • June 01, 2025 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુક્રેને રશિયા પર એક મોટો અને વ્યૂહાત્મક હુમલો કરવાનો દાવો કર્યો છે, જેમાં રશિયાના 41 લડાયક વિમાનોનો નાશ કરવામાં આવ્યા છે. યુક્રેનની વેબસાઇટ 'કીવ ઇન્ડિપેન્ડન્ટ'ના અહેવાલ મુજબ, યુક્રેને રશિયાના ચાર મહત્વપૂર્ણ એરબેઝને નિશાન બનાવ્યા હતા, જેમાં મર્મન્સ્કમાં ઓલેન્યા એર બેઝ, ઇરકુત્સ્કમાં બેલાયા એર બેઝ, ઇવાનોવોમાં ઇવાનોવો એર બેઝ અને ડાયગિલેવો એર બેઝનો સમાવેશ થાય છે.


આ હુમલામાં રશિયાના બેલાયા એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જે યુક્રેનની સરહદથી લગભગ 4,000 કિમી દૂર આવેલું છે. જ્યારે ઓલેન્યા એરબેઝ લગભગ 1,800 કિમી દૂર છે. આ હુમલામાં A-50, TU-95 અને TU-22 જેવા વ્યૂહાત્મક બોમ્બર્સ (Strategic Bombers) નો નાશ થયો હોવાનું યુક્રેનનો દાવો છે.


​​​​​​​રિપોર્ટ અનુસાર, યુક્રેનની સુરક્ષા એજન્સી (SBU) એ FPV (ફર્સ્ટ-પર્સન-વ્યૂ) ડ્રોન્સનો ઉપયોગ કરીને આ હુમલો કર્યો હતો. SBU ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ હુમલો તેમણે પોતાના બચાવમાં કર્યો છે, કારણ કે આ રશિયન વિમાનો અવારનવાર યુક્રેનના શહેરોને નિશાન બનાવે છે.

પ્રાથમિક અંદાજ મુજબ, આ હુમલાથી રશિયાને $2 બિલિયન અમેરિકી ડોલર (₹17,000 કરોડથી વધુ) નું નુકસાન થયું હોઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, રશિયાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સોમવારે ઇસ્તંબુલમાં શાંતિ વાટાઘાટો યોજાવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application