યુએસના ઉપરાષ્ટ્રપતી વાન્સ પરિવાર સાથે ભારતના પ્રવાસે આવશે, મોદી સાથે ડીનર કરશે, અક્ષરધામમા દર્શન કરી જયપુર અને આગ્રા જશે

  • April 21, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના ભારતીય મૂળના તેમના પત્ની ઉષા વાન્સના માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું છે. આ પહેલા, વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વેપાર, ટેરિફ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે.


અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, તેમની પત્ની ઉષા અને તેમના ત્રણ બાળકો, ઇવાન, વિવેક અને મીરાબેલ, ભારતની ચાર દિવસની મુલાકાતે એરબેઝ પર પહોંચી ગયા છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રીએ  તેમનું સ્વાગત કર્યું હતું. દિલ્હી ઉપરાંત, વાન્સ અને તેનો પરિવાર જયપુર અને આગ્રાની પણ યાત્રા કરશે. એવું કહેવાય છે કે, ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે પેન્ટાગોન અને વિદેશ વિભાગના લોકો સહિત ઓછામાં ઓછા પાંચ વરિષ્ઠ અધિકારીઓ ભારત આવી રહ્યા છે.


બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

દિલ્હી પહોંચ્યાના થોડા કલાકોમાં, વાન્સ અને તેનો પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ ભારતીય હસ્તકલા ઉત્પાદનો ખરીદવા માટે કોઈ શોપિંગ કોમ્પ્લેક્સમાં જઈ શકે છે. આજે સાંજે 6:30 વાગ્યે, પીએમ મોદી જેડી વાન્સ સાથે વાતચીતનું આયોજન કરશે. જેમાં પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


આજે રાત્રે જ વાન્સ અને તેનો પરિવાર જયપુર જવા રવાના થશે

ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી એસ. જયશંકરનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ હાજર રહેશે. વાટાઘાટો પછી, પ્રધાનમંત્રી મોદી અમેરિકી પ્રતિનિધિમંડળ માટે રાત્રિભોજનનું આયોજન કરશે. આજે રાત્રે જ વાન્સ અને તેનો પરિવાર જયપુર જવા રવાના થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application