જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે બે દિવસ પૂર્વે આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ નાગરિકોના કરુણ મૃત્યુ નીપજતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો સાથે સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આ આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગઈકાલે ગુરુવારે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના જોધપુર ગેઈટ ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા યુનિટ દ્વારા પહેલગામ ખાતેના હુમલામાં અકાળે અવસાન પામેલા હતભાગી પર્યટકોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સૌ કોઈએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech