દરેડમાં બીમારીથી કંટાળી ફિનાઈલ પી લઈ યુવતિનો આપઘાત

  • March 07, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહિલ નામના રીક્ષા ચાલકની પરિણીત પુત્રી જાગૃતિબેન કુલદીપ ભાઈ ધવલ(21) કે જે હાલ લાલપુરમાં શિવનગર વિસ્તારમાં રહે છે, અને પોતાના પિતાને ઘેર આટો દેવા માટે આવી હતી.


જે દરમિયાન તેણે પોતાની માનસિક રીતે માથાનો દુખાવો-પીડાથી બિમાર રહેતી હોય દરમ્યાન બિમારીથી કંટાળી ગઈ હતી. જેથી તેણીએ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા કિશોરભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application