ત્રણ પોલીસ કર્મચારીઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત

  • May 02, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા નિવૃત્તિ વિદાયમાન અપાયું


જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક આસી.સબ. ઇન્સ્પેક્ટર સહિત ૩ પોલીસ કર્મચારી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે, જે તમામ માટે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની કચેરીમાં વિદાય સમારોહ યોજાયો હતો, અને એસ.પી. દ્વારા તમામને મોમેન્ટ અર્પણ કરી વિદાયમાન અપાયું હતું.


જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. ગિરધરભાઈ છગનભાઈ અઘેરા, તેમજ  હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ રાજેન્દ્રસિંહ રાણા (સ્વૈચ્છિક નિવૃત્તિ, (ટ્રાફીક શાખા), અને દીપકભાઈ કરશનભાઈ ચુડાસમા (પોલીસ હેડ ક્વાર્ટર) કે તેઓને વિદાય આપવા માટેનો એક સમારોહ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂની કચેરી ખાતે રાખવામાં આવેલ હતો.


 જેમાં એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ ને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, અને તમામને વિદાયમાન અપાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application