ટ્રકમાંથી પડેલા વિજપોલના કારણે અકસ્માત થયો : ટ્રકચાલક સામે ફરીયાદ
જામનગર નજીક વિજરખી નજીક એક ટ્રકમાંથી વીજ પોલ નીચે પડતાં બાજુમાંથી પસાર થયેલા થઈ રહેલા ઇ.બાઇક ચાલક અને બે બાળકો સહિત ત્રણ વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજા થઈ હતી, જે મામલે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર ચાર દિવસ પહેલાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકમાં વીજ થાંભલા ભરીને જઈ રહ્યો હતો, દરમિયાન એકાએક ટ્રક પરથી કાબુ ગુમાવી બેઠો હતો, અને ટ્રકમાંથી વીજ પોલ માર્ગ પર પડ્યા હતા.
આ વેળાએ ઇ-બાઇક પર પસાર થઈ રહેલા જામનગર તાલુકાના વિજરખી ગામના ઉમેદભાઈ વાલજીભાઈ વાઘેલા (૩૮) અને શિવાની, તેમજ ફરીયાદીના દિકરા રુદ્ર (૪ વર્ષ)ને ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી. જે ત્રણેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
જેમાં ઉમેદભાઈને માથામાં ટાંકા લેવા પડ્યા છે, જ્યારે પગમાં ફ્રેક્ચર થયું છે. ઉપરાંત તેની શિવાનીને કાન પાછળ ઇજા થઇ હોવાથી સાત ટાંકા લેવા પડ્યા છે. જ્યારે તેના રુદ્રને પણ માથામાં ઈજા થઈ હોવાથી ટાંકા લેવા પડ્યા છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રરસ્ત ઉમેદભાઈના નાના ભાઈ અનિલભાઈ વાલજીભાઈ વાઘેલાએ ટ્રકના ચાલક જી.જે. ૧૪ એક્સ ૫૭૪૦ ના ચાલક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ટ્રક કબજે લેવાયો છે, જયારે તેના ચાલકની અટકાયત કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech