કોરોનાએ ચિંતા વધારી, નોઈડામાં એક્ટીવ કેસ 190, કલમ 163 લાગુ, ગુજરાતમાં સક્રિય કેસ 615 છતાં કોઈ જ એક્શન નહિ
દેશમાં કોરોનાના સક્રિય કેસ 5000ને વટાવી ગયા છે. 22 મે ના રોજ, આ આંકડો 275 હતો. આવી સ્થિતિમાં, છેલ્લા 15 દિવસમાં કોરોનાના સક્રિય કેસ 20 ગણા વધ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં સક્રિય કોરોના કેસોમાં કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. તે પછી ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીને અડીને આવેલા યુપીના નોઈડામાં કોરોના વાયરસ લોકોની ચિંતા વધારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 190 પર પહોંચી ગઈ છે. એક ચેપગ્રસ્ત વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. કોરોનાની ગતિને ધ્યાનમાં રાખીને, જિલ્લામાં બીએનએસની કલમ 163 લાગુ કરવામાં આવી છે, જે 7 જૂનથી 9 જૂન સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન, કોઈપણ પ્રકારનો વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઈપણ પ્રકારનો સરઘસ કાઢવામાં આવશે નહીં. પરવાનગી વિના 5 કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકશે નહીં.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક ઉછાળો યથાવત છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના દૈનિક કેસોમાં એક મોટો ઉછાળો સૂચવે છે આ સાથે જ કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 615 પર પહોંચી ગઈ છે, જે આરોગ્ય તંત્ર માટે ગંભીર પડકાર ઊભો કરી રહી છે. છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી. આ પરિસ્થિતિ સુચવી રહી છે કે ગુજરાતનું સરકારી તંત્ર જાણે ભર નિંદ્રામાં ઉંધી રહ્યું હોય.
કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર કોરોના માટેની તૈયારીઓ ચકાસવા માટે મોક ડ્રીલ કરી રહ્યું છે. કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. ભારતમાં 5,364 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં ચાર નવા મૃત્યુ નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech