વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનો આભાર માનતા કહ્યું કે શિખર સંમેલનમાં મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કાર્નીને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું છે. તેમણે વડાપ્રધાન મોદીને ફોન કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું, "કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે ફોન પર વાત કરીને ખુશી થઈ. તાજેતરમાં થયેલી ચૂંટણીમાં તેમની જીત પર તેમને અભિનંદન પાઠવ્યા અને આ મહિનાના અંતમાં કનાનાસ્કિસમાં યોજાનાર G7 શિખર સંમેલનમાં આમંત્રિત કરવા બદલ તેમનો આભાર માન્યો."
મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ - PM મોદી
વડાપ્રધાન મોદીએ લખ્યું, "ભારત અને કેનેડા પરસ્પર સન્માન અને વહેંચાયેલા હિતોના માર્ગદર્શનમાં નવા ઉત્સાહ સાથે મળીને કામ કરશે. શિખર સંમેલનમાં અમારી મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ." આ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેનેડા સાથેના સંબંધોમાં તણાવને કારણે ભારતને G7 સમિટમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં નહીં આવે.
કેનેડામાં આ જ મહિને G7 શિખર સંમેલનનું આયોજન
વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની કેનેડિયન સરકાર આ વર્ષે ૧૫-૧૭ જૂન દરમિયાન આલ્બર્ટાના કનાનાસ્કિસ રિસોર્ટમાં G7 શિખર સંમેલનની યજમાની કરવા જઈ રહી છે. જેમાં વૈશ્વિક પડકારો જેવા કે રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થવાની અપેક્ષા છે. G7 માં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઉપરાંત યુરોપિયન યુનિયન ભાગ લે છે.
કોંગ્રેસે કહ્યું હતું કે જો કેનેડામાં G7 બેઠકમાં ભારતને આમંત્રિત કરવામાં નહીં આવે તો તે એક મોટી રાજદ્વારી ભૂલ હશે. વર્ષ ૨૦૨૩ માં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ૨૦૨૩ માં ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના પછી બંને દેશોના સંબંધોમાં તણાવ વધી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech