પોરબંદરમાં વૃધ્ધત્વની સમી સાંજના ઓટલાનું થયુ નવીનીકરણ

  • June 05, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની એચ.એમ.પી. કોલોનીમાં દરરોજ સાંજે સીનીયર સીટીઝનો જિંદગીની સાંજ મિત્રો સાથે પસાર કરે છે તે સ્થળે ઓટલાનું નવીનીકરણ નિવૃત્ત ફૌજી દ્વારા કરી આપવામાં આવ્યુ છે.  એચ.એમ.પી. કોલોનીમાં આવેલ શ્રી ભીમેશ્ર્વર મહાદેવ મંદિર નજીક આવેલ વૃધ્ધત્વ સમી સાંજનો ઓટલો, અલખનો ઓટલો, જ્યાં વર્ષોથી ભીમેશ્ર્વર સીનીયર સીટીઝન ગૃપના સભ્યો સાંજના સમયે બેસી ભજન, કીર્તન, સત્સંગ કરે છે.



હાલમાં આ ઓટલાનેં નવીનીકરણનું કામ નિવૃત્ત ફોજી ધીરજલાલ વેલજીભાઇ ગોહેલે કર્યુ છે. તેઓ ૧૭ વર્ષ ગયા-બિહાર-હલદવાની- નૈનીતાલ-ઉધમપુર (જન્મુ), બીકાનેર(રાજસ્થાન), શ્રીનગર અને મુંબઇ ફરજ બજાવી સેવા નિવૃત્ત થયા છે. જેઓ હાલમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં હેડ આર્મ્ડ ગાર્ડ તરીકે  ફરજ બજાવે છે. જેઓનો પુત્ર ગૌરવ ડી. ગોહેલ નેવીમાં વાલસરા ખાતે ફરજ બજાવે છે. આ નિવૃત ફોજીએ સ્વખર્ચે ઓટલાનું નવીનીકરણ -પાણીની વ્યવસ્થા સાથોસાથ ઓટલાની બંને બાજુ ‘જયહિન્દ’  લખી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી છે.


નિવૃત્ત ફૌજી  ધીરજલાલ વેલજીભાઇ ગોહેલના ઉમદા કાર્ય બદલ ભીમેશ્ર્વર સીનીયર ગૃપ દ્વારા સન્માન કરવામં આવેલ. ગૃપના વયોવૃધ્ધ અગ્રણી ડાયાભાઇજોશી તથા પ્રભાશંકર પુરોહિતે શાલ ઓઢાડી તેમજ મનસુખભાઇ જોશી તથા હરસુખભાઇ પુરોહિતે સુતરની આંટી પહેરાવી સન્માન કર્યુ હતુ. નિવૃત્ત ફોજીના આ સેવાકાર્યને બિરદાવી અને અન્યને પણ પ્રેરણા‚પ બનશે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ  પ્રસંગે ગૃપના ડો. જનક પંડિત, સી.વી. વ્યાસ, હરીભાઇ લોઢીયા, રાજેન્દ્ર કારીયા, પરસોતમભાઇ મોઢા, ભીખુભાઇ ભીખુભાઇ મલકાંત, રામભાઇ વિજયભાઇ જોશી,  વિનુભાઇલોઢારી એ હાજરરહી નિવૃત્ત ફોજીને શુભકામના પાઠવી હતી અને ગૃપ વતી આભારની લાગણી વ્યકત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application