દિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત

  • April 19, 2025 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજધાની દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે મોડી રાતે એક ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી જેમાં છ લોકોના મોત થયા છે જયારે હજુ પણ 8 થી 10 લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.આ બનાવ રાતે 3 વાગ્યા આસ્પસ બન્યો હતો.કાટમાળ નીચે દટાયેલા 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.મૃતકોની ઓળખ ચાંદની, દાનિશ, રેશમા અને નવીદ તરીકે થઈ છે.


અકસ્માત અંગે, ઉત્તર પૂર્વ જિલ્લાના એડિશનલ ડીસીપી સંદીપ લાંબાએ જણાવ્યું હતું કે આ ચાર માળની ઇમારત હતી.ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, "અહીં બે પુરુષો અને બે પુત્રવધૂ રહે છે. મોટી પુત્રવધૂને ત્રણ બાળકો છે, બીજી પુત્રવધૂને પણ ત્રણ બાળકો છે. અમને હાલમાં કંઈ ખબર નથી. તેઓ ક્યાંય દેખાતા નથી. ભાડૂઆતો પણ અહીં રહે છે." હાલમાં આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી.


બિલ્ડિંગમાં ત્રણ પરિવાર રહેતા હતા

ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન છે. બાકીના બે માળ પર ત્રણ પરિવારોના લગભગ 15 લોકો રહેતા હતા. એક પરિવારના કેટલાક સભ્યો કાટમાળમાં ફસાયેલા હોવાનું કહેવાય છે. બાકીના લોકો પોતાની મેળે બહાર આવ્યા. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો ઉપરાંત સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શરુ કરી દીધું હતું.


વાવાઝોડાને કારણે દિવાલ ધરાશાયી થઈ

શુક્રવારે દિલ્હીના હવામાનમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. આવી જ એક ઘટનામાં, મધુ વિહાર નજીક એક નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા હતા. આ અકસ્માત વાવાઝોડાને કારણે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, દિવાલ નિર્માણાધીન છ માળની ઇમારતનો ભાગ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application