ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી શ્રી સેવાકુંજ હવેલીના ઉપક્રમે પૂજ્ય ગોસ્વામી શ્રી માધવી વહુજી યશોદાનંદજી મહારાજશ્રીના સાનિધ્યમાં ચિ. ગોસ્વામી શ્રી વલ્લભનાથજી (નુપુરબાવા)ના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી રવિવાર તા. 23 ફેબ્રુઆરીના રોજ રસીયાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુની ધર્મશાળા ખાતે રવિવારે સાંજે 4 થી 7 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ રસીયા કાર્યક્રમમાં મુંબઈથી ગોપી મંડળની સખીઓ તથા બજાણાની કીર્તન મંડળી દ્વારા રસીયાની રમઝટ બોલાવવામાં આવશે. આ પ્રસંગે સર્વે વૈષ્ણવોને અલૌકિક પ્રસંગમાં સહભાગી થવા હવેલીના પૂજ્ય શ્રી માધવી વહુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech