ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. જેને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ રહી છે. ગોંડલ શહેરમાંઅલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા આવી પહોચ્યા છે. દર્શન બાદ ગોંડલમાં પ્રવેશ કર્યો છે. આશાપુરા મંદિર બાદ અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા છે.
ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ ફોડ્યો
આ દરમિયાન ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ ફોડવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનકારીઓએ કાચ ફોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિરોધી પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા.
અલ્પેશ કથીરિયા ફેસબુકમાં મુકેલી પોસ્ટમાં શું લખ્યું હતું?
અમે ગોંડલ ફરવા આવી રહ્યા છીએ. ગોંડલમાં ફરીશું, ચા પીશુ. ગાંઠીયા ખાઇશુ અને મંદિરોમાં દર્શન કરીશું. ગોંડલમાં લોકશાહી કેવી છે તે જાણીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech