ભાણવડ આતે કોંગ્રેસ દ્વારા જનઅધિકાર તાલુકા સંવાદ સાથે સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ સહિત કોંગી આગેવાનો જોડાયા હતા અને રાજ્ય તેમજ કેન્દ્રમાં ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ તકે પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે દેશમાં શિક્ષા, બેરોજગારી, મોંઘવારી, સ્વાસ્થ્ય જેવા પાયાના પ્રશ્ર્નો પ્રત્યે ગંભીરતા દાખવવાને બદલે લોકોના બેઘ્યાન કરી ગુમરાહ કરી રહ્યું છે.
જ્યારે પીઢ અગ્રણી ડો. મોહનભાઇ રાબડીયાએ પ્રાસંગિક પ્રવચનમાં આગામી લોકસભા ચૂંટણી માટે કામે લાગી જઇ, કાર્યકરોને ભાજપની નિષ્ફળતા જન જન સુધી પહોંચાડવા કહ્યું હતું, અંતમાં ડો. રાબડીયાએ સફળતા માટે સતત સંઘર્ષ કરવા ઉમેર્યું હતું.
જ્યારે એડવોકેટ ગીરધરભાઇ વાઘેલાએ ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનું જણાવી, આ સરકાર માત્રને માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરી વર્તમાન સરકારની ઝાટકણી કાઢી હતી, આ તકે કોંગ્રેસના પીઢ આગેવાન સામતભાઇ ઓડેદરા, સારાબેન મકવાણા, જશવંતસિંહ ભટ્ટી સહિતે પણ પ્રવચનમાં ભાજપ સરકારની કહેવાતી નીતિરીતિની આલોચના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech