ખંભાળિયા: ધાર્મિક સ્થળોના ડીમોલેશન બાબતે વીએચપી દ્વારા મામલતદારને આવેદન

  • March 05, 2025 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા મામલતદાર દ્વારા તાજેતરમાં ખંભાળિયા શહેર તથા તાલુકાના ગામોમાં આવેલા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક સમા મંદિરોને ડીમોલીશન કરવાની નોટિસ આપવામાં આવેલ છે તે નોટિસ પાછી ખેંચી લેવા તથા મંદિરની જગ્યાઓને સરકારી ધારાધોરણ મુજબ ફી લઈને નિયમિત કરવા માટે નું  વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ હતું. સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો ને નિયમિત કરવા માટે ઈમ્પેકટ ફી લઈને નિયમિત કરવામાં આવે છે તેમ મંદિરો માટે પણ આવો કાયદો લઈ આવવો જોઈએ કે જેથી હિન્દુ ધર્મ ના ધાર્મિક ઉત્સવો તથા તહેવારો ને ઉજવવામાં અડચણ વગર ઉજવવા ની પ્રણાલી ભવિષ્ય માં પણ અવિરત ચાલુ રહે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ  - બજરંગદળના હોદેદારો સર્વે મિલનભાઈ વારીયા, ઘનશ્યામસિંહ વાઢેર, મનીષભાઈ જેઠવા, ભુદેવ પ્રવિણસિંહ કંચવા તથા ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application