પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયને હજી સુધી દવા આયાતની સ્થિતિ સ્પષ્ટ કરતો કોઈ સત્તાવાર નિર્દેશ મળ્યો નથી, જ્યારે સરકારે ભારત સાથે તમામ વેપાર સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના પગલાંથી પાકિસ્તાન પર અનેક રીતે સંકટ તોળાઈ રહ્યું છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં દવાઓની પણ તંગી સર્જાઈ શકે છે.
જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર હાલમાં પાકિસ્તાન દવાઓ માટે કાચા માલના 30 થી 40 ટકા સુધી ભારત પર નિર્ભર છે, જેમાં સક્રિય દવા સામગ્રી (API) અને ઘણા અદ્યતન તબીબી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (DRAP)એ પુષ્ટિ કરી છે કે દવા ક્ષેત્ર પર પ્રતિબંધની અસર અંગે કોઈ ઔપચારિક સૂચના આપવામાં આવી નથી, પરંતુ આકસ્મિક યોજનાઓ પહેલેથી જ તૈયાર છે.
ચીન, રશિયા અને યુરોપીય દેશોમાં શોધી રહ્યું છે વિકલ્પ
DRAPના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 2019ના સંકટ બાદ અમે આવી ઇમરજન્સી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે અમે અમારી દવાની જરૂરિયાતો પૂરી કરવા માટે વૈકલ્પિક રસ્તાઓ પર વિચાર કરી રહ્યા છીએ. DRAP હવે ચીન, રશિયા અને ઘણા યુરોપીય દેશો પાસેથી વૈકલ્પિક સ્ત્રોતો શોધી રહ્યું છે.
એજન્સીનો લક્ષ્ય એન્ટિ-રેબીઝ વેક્સિન, એન્ટિ-સ્નેક વેનમ, કેન્સર થેરાપી, મોનોક્લોનલ એન્ટિબોડીઝ અને અન્ય મહત્વપૂર્ણ જૈવિક ઉત્પાદનો સહિત આવશ્યક તબીબી પુરવઠાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. ભલે DRAP ખાતરી આપે કે અમે તૈયારી કરી રાખી છે, પરંતુ ફાર્મા ઉદ્યોગના આંતરિક સૂત્રો અને આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો વેપાર સ્થગિત થવાના દુષ્પરિણામોનો સામનો કરવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech