ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખંભાળિયામાં મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયું હતું. ખંભાળિયામાં ઉતરાયણ પર્વ દરમ્યાન પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને રવિવારે સંસ્થાના કાર્યકર દેશુરભાઈ ગઢવી તથા તેમની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘાયલ પક્ષીઓની જાણકારી મેળવવામાં આવી હતી.
અહીંના બેઠક રોડ પાસેથી એક કબૂતર પતંગના દોરામાં ફસાઈ ગયું હોવાથી તાકીદે જરૂરી સારવાર આપીને આ કબૂતરને આઈસોલેટ કરવામાં આવ્યું હતું. અન્ય એક ઇજાગ્રસ્ત કબૂતરને પણ જરૂરી સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યું હતું.
ઉતરાયણના તહેવાર દરમ્યાન ભાણવડ ખાતે વન વિભાગ અને એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના સભ્યો દ્વારા ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે રવિવારે ભાણવડ તાલુકામાં જુદા જુદા વિસ્તારોમાં પતંગ અને દોરાનો ભોગ બનેલ પક્ષીઓને રેસ્કયુ કરીને સારવાર આપવામાં આવી હતી. આ સેવા પ્રવૃત્તિથી અનેક મુક પક્ષીઓને નવજીવન મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિ પર્વે પક્ષીઓ પ્રત્યે લોકોની જાગૃતિ વધવાના કારણે ઉતરાયણ દરમ્યાન એકપણ પક્ષીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech