શહેરના ભગવતી પરા વિસ્તારમાં ફાકી માંગવા જેવી નજીવી બાબતે યુવકની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા એક આરોપીને હાઇકોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના ભગવતી પરા વિસ્તારમાં ગત તારીખ 1/ 12/ 24 ના રોજ હાર્દિક ઉર્ફ હિતેશ નટુભાઈ ચૌહાણ નામના યુવાનએ ફાકી આપવાની ના પાડતા સની ઉર્ફે ચડ્યો ઉધરેજીયા, શિવરાજ વિનુ ઉધરેજીયા, સાગર શામજી ઉધરેજીયા અને બાળ આરોપી સહિત ચાર શખ્સએ છરી વડે હુમલો કર્યો અંગેની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ સારવાર દરમિયાન હાર્દિક ઉર્ફે હિતેશ ચૌહાણનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. જેલ હવાલે રહેલા સની ઉર્ફે ચડ્યો ઉધરેજીયાની રેગ્યુલર જામીન અરજી સેશન્સમાં નામંજૂર થતા જે હુકમથી નારાજ થઈ સનિ ઉફેઁ ચડ્યો ઉધરેજીયાએ તેના એડવોકેટ વૈભવ કુંડલીયા મારફતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ ધ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટે સની ઉર્ફે ચડયો દુધરેજીયા ની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે બચાવ પક્ષે એડવોકેટ તરીકે વૈભવ કુંડલીયા, ગૌરાંગ ગોકાણી, શિવરાજસિંહ જાડેજા, હિરેન નયાલચંદાણી ,લીગલ આસિસ્ટન્ટ તરીકે જયદીપ ગઢીયા રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech