ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 11 મે ના રોજ અત્રે જામનગર માર્ગ પર આવેલી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન સહિતના દાતાઓના સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલના ડોક્ટરો તેમજ તેમની ટીમ દર્દીઓની તપાસ કરી, જરૂરી સેવાઓ આપશે. આ કેમ્પમાં વિના મૂલ્યે મોતિયાનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના નેત્ર દર્દીઓને સંસ્થાના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે પુરુષ અને સ્ત્રી વંધ્યત્વ અંગેનો કેમ્પ: લાયન્સ ક્લબના ઉપક્રમે આયોજન
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 11 મે ના રોજ અત્રે નવાપરા, શેરી નંબર 17 ખાતે આવેલી શ્રી કિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિના મૂલ્ય પુરુષ અને સ્ત્રી વંધ્યત્વ કેમ્પનું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જામનગરના જાણીતા ડો. ગાયત્રી સુરેશ ઠાકર તેમની સેવાઓ આપશે. રવિવારે સવારે 10 થી 12 વાગ્યા સુધી આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના લોકોને લાયન્સ ક્લબ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech