રાજકોટમાં કોરોનાના નવા વેવમાં પ્રથમ મોત, ગાંધીગ્રામના 55 વર્ષના આધેડ કોરોના સામેનો જંગ હાર્યા, જાણો તેઓને બીજી કઈ બિમારી હતી

  • June 10, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં તા.૧૯–૫–૨૦૨૫થી આજે તા.૧૦–૬–૨૦૨૫ સુધીના ૨૨ દિવસમાં કોરોનાના કુલ ૧૧૪ કેસ મળ્યા છે જેમાંથી ૬૧ દર્દી સાજા થયા છે અને ૫૩ દર્દીઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે. દરમિયાન આજે મલેશિયાથી રિટર્ન યુવાન સહિત વધુ ૯ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર થયું છે. સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે ગાંધીગ્રામમાં વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય આધેડ કોરોના પોઝિટિવ હોવાથી સારવાર માટે આવ્યા હતા. જેનું મોડીરાત્રે મોત થયાનું જાહેર થયું છે. તેઓને સાથે બીપી, ડાયાબિટીસ, ફેફસા અને હાઈપર ટેન્શનની પણ બિમારી હતી.


સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં હાલ બે દર્દીઓ સારવાર હેઠળ છે.


આજ ક્યાં વિસ્તારોમાં કેસો નોંધાયા

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કોરોનાના કેસની મ્યુનિસિપલ વોર્ડ વાઇઝ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે (૧) વોર્ડ નં.૮માં કાલાવડ રોડ ઉપર મલેશિયાથી રિટર્ન ૩૬ વર્ષીય યુવાન (૨) વોર્ડ નં.૩ના વર્ધમાન નગરમાં મુંબઈથી પરત ફરેલા ૨૬ વર્ષીય યુવાન (૩) વોર્ડ નં.૧૪ના કેવડાવાડીમાં ૨૬ વર્ષીય યુવતી (૪) વોર્ડ નં.૧ના સોપાન હાઇટસમાં ૨૭ વર્ષીય યુવાન (૫) વોર્ડ નં.૩ની આકાશદીપ સોસાયટીમાં ૪૪ વર્ષીય ક્રી (૬) વોર્ડ નં.૧૭ની રાજલમી સોસાયટીમાં ૬૯ વર્ષીય પુષ (૭) વોર્ડ નં.૭માં હેમુ ગઢવી હોલ પાછળ ૨૬ વર્ષીય યુવતી (૮) વોર્ડ નં.૮માં નરશી પાર્ક–૧માં ૩૨ વર્ષીય યુવાન તેમજ (૯) વોર્ડ નં.૮ના મયુર નગરમાં ૨૬ વર્ષીય યુવાન સહિત કુલ નવ સંક્રમિત થયા છે. 


દર્દીઓમાં માઈલ્ડ લક્ષણો

ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ એલએફ.૭.૯ છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યકિતઓએ તેમના સ્વારથ્યનું સ્વ–નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી– છીક દરમિયાન નાક–મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો–મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શકિતની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જર નથી. સાવચેતી એજ સમજદારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application