ફાયર બ્રિગેડ અને વિજ કચેરીની ટુકડીઓ પહોચી: આગ બુઝાવી
જામનગરમાં સાધના કોલોની હાઉસિંગ બોર્ડ ના ક્વાર્ટર્સ નજીકના ભાગમાં ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાની ૨૫ મિનિટે એક વિન ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સૌપ્રથમ તણખા જર્યા પછી ધડાકા સંભળાયા હતા, અને ત્યારબાદ ટ્રાન્સફોર્મર ની બહાર ઢોળાયેલો ઓઇલનો જથ્થો, તેમજ કેબલ વગેરે સળગવા લાગ્યા હતા.
જે ધડાકાના અવાજને કારણે અને આગની જવાળાને લઈને સમગ્ર સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા, અને દોડધામ થઈ હતી. આગના બનાવ અંગે વિજ તંત્ર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરાતાં બંને ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી.
ત્યારબાદ સૌપ્રથમ તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર શાખા ની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.
ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી, અને તણખા નીચે પડવાથી કચરાનો ઢગલો એકત્ર થયો હતો, તે પણ સળગ્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.
સમગ્ર કવાયત એકાદ કલાક ચાલી હતી, ત્યારબાદ રાત્રિના ૧૨.૪૫ વાગ્યે વિજ તંત્રએ સમારકામ આટોપી લઇ સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પુન: કાર્યરત બનાવી દીધો હતો, જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ એરક્રેશ બાદ રાજ્ય સરકાર સક્રિય: તાત્કાલિક રાહત કામગીરી માટે 32 અધિકારીઓની નિયુક્તિ
June 12, 2025 08:18 PMપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થતા પડોશીઓએ તેમના ઘરની નજીક આવેલા મંદિરમાં પૂજા કરી
June 12, 2025 08:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech