બોખીરામાં વાછરાડાડાના મંદિર સામે ભંગારના ડેલામાં લાગી આગ

  • April 28, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના બોખીરા વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાસે ભંગારના ડેલામાં  વિકરાળ આગ લાગી હતી. ફાયરજવાનોએ બે ફાયર ફાઇટરના માધ્યમથી આગ પર કાબુ મેળવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા વાછરાડાડાના મંદિર સામે ભંગારના ડેલામાં કોઇ કારણોસર સાંજના સુમારે આગ ભભૂકી ઉઠી હતી અને બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા પોરબંદર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી  ગઇ હતી અને ટાયરને કારણે ધુમાડો વધુ થતો હોવાથી બબ્બે ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કયા કારણોસર આગ લાગી? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application