પોરબંદરના બોખીરા વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાસે ભંગારના ડેલામાં વિકરાળ આગ લાગી હતી. ફાયરજવાનોએ બે ફાયર ફાઇટરના માધ્યમથી આગ પર કાબુ મેળવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા વાછરાડાડાના મંદિર સામે ભંગારના ડેલામાં કોઇ કારણોસર સાંજના સુમારે આગ ભભૂકી ઉઠી હતી અને બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા પોરબંદર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી ગઇ હતી અને ટાયરને કારણે ધુમાડો વધુ થતો હોવાથી બબ્બે ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કયા કારણોસર આગ લાગી? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech