સોલાર અને જનરેટર ખાખ: ફાયર ટીમની જહેમત: વ્યાપક દોડધામ
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં આવેલા પોસ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં ગરબી ચોક વિસ્તારમાં રહેતા ભરતભાઈ ચંદુભાઈ પંચમતીયાના રહેણાંક મકાનમાં બીજા માળે ફીટ કરવામાં આવેલી સોલાર પેનલમાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડાના ગોટા સાથે આગની જવાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી.
આ બનાવ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર વિભાગના મનસુખભાઈ મારુ, બ્રિજરાજસિંહ સરવૈયા તથા સુખદેવસિંહ વાઢેરની ટીમએ ફાયર ફાઈટર સાથે દોડી જઈને લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ પર વધુ પ્રસરતા અટકી હતી.
આ આગમાં ઘર પરની સોલાર પેનલ તેમજ જનરેટર સેટ બળીને ખાખ થઈ જતા મકાન માલિકને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ બનાવના પગલે નજીકના રહીશોમાં થોડોક સમય ભયનો માહોલ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech