જામનગર ખાતે ગુરુદ્વાર ગુરુ સિંઘ સભામાં ગુરુ ગોવિંદ સિંઘજીની ૩૫૮મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક મનાવવામાં આવી હતી. તા ૧૭ જનવરી ના રોજ સવારે ૮ વાગે ગુરુદ્વારાથી જી જી હોસ્પિટલ સુધી નગર કીર્તન રૂપે જઈને ગુરુ ગોબિંદ સિંઘજી પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું હતું જેમાં જી જી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દીપક તિવારી, ડીન ડો. નંદિનીબેન દેસાઈ, વસાવડા તથા હોસ્પિટલના સ્ટાફ અને એક્સ આર્મીમેન અને ગુરૂદ્વારની સંગતની હાજરીમા હોસ્પિટલ ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલમાં દર્દીઓના સ્વસ્થ જલ્દી ઠીક થાય એવી પ્રાર્થના કરાઈ હતી. ગુરુદ્વારા ખાતે સેજ પાઠજી ની સમાપ્તિ સવારે ૧૦:૩૦ વાગે કરવા આવી હતી, તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, પંજાબ થી વિશેષ રુપથી પધારેલા જ્ઞાની પ્રિતપાલ સિંઘ અને ભાઈ મહોર સિંઘજી એ કથા,શબ્દ કીર્તન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યા લોકો ગુરુદ્વારા ખાતે શ્રદ્ધાળુએ માથું ટેકીને શબ્દ કીર્તનનું લાભ લીધો હતો, ત્યારબાદ ગુરુકા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ દર્શન તેમજ પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech