તા. 2 જૂનથી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં એક એરકન્ડિશન્ડ કોચની સુવિધા

  • May 31, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ૪-૧૧ જૂને જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સ્પ્રેસ ટ્રેન મોડી ઉપડશે

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે વહીવટીતંત્રે આગામી 6 મહિના માટે ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19209/19210) માં એક થર્ડ એસી કોચની સુવિધા અસ્થાયી રૂપે પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ભાવનગર-ઓખા ટ્રેનમાં લગાવવામાં આવતા વધારાના કોચની વિગતો નીચે મુજબ છે. જેમાં, (1) ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં 02.06.2025 થી 02.12.2025 સુધી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. (2) ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં 03.06.2025 થી 03.12.2025 સુધી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. 
ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ પર મુલાકાત લઈ શકે છે, તેમ પશ્ચિમ રેલવે ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલના વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીની એક યાદીમાં જણાવાયું છે.

રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજના ગર્ડર પુન: લગાવવાની કામગીરી કારણભૂત

આગામી તા. ૪ અને ૧૧ જુને કટરા એક્સ્પ્રેસ અને વેરાવળ-ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેન મોડી ઉપડશે. રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજના ગર્ડર પુન: લગાવવાની કામગીરી કારણભૂત રહેશે. આગામી ૨ જૂનથી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં એક એરકન્ડિશન્ડ કોચની સુવિધા ઉપલબ્ધ થશે.

પશ્ર્ચિમ રેલ્વે વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટ બિલેશ્ર્વર સેકશનમાં આવેલા ગર્ડર પુન: લગાવવાની કામગીરીના કારણે બ્લોક લેવાશે, આથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ૦૪.૦૬.૨૦૨૫ અને ૧૧.૦૬.૨૦૨૫ ના રોજ જામનગરથી તેના નિર્ધારિત સમય ૦૮:૩૦ વાગ્યાને બદલે ૨ કલાક મોડી એટલે કે ૧૦:૩૦ વાગ્યે ઉપડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application