ઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ

  • June 01, 2025 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતના સિરેબોન જિલ્લામાં ગુનુંગ કુડા નામની પથ્થરની ખાણ ધસી પડવાથી શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું જાણવા મળે છે. 



સ્થાનિક પોલીસ વડા સુમરનીએ માહિતી આપી હતી કે શનિવારે બપોર સુધીમાં કાટમાળમાંથી ૧૬ મૃતદેહો કાઢવામાં આવ્યા છે, જ્યારે એક ઘાયલનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ ખરાબ હવામાન, અસ્થિર જમીન અને ખડકાળ ભૂપ્રદેશને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના સમયે ખાણમાં કામ કરતા લોકો અચાનક પથ્થર પડવાથી કાટમાળ નીચે દટાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application