વિજરખી પાસે બાંધકામના ધંધાર્થી પર હુમલો

  • March 06, 2025 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાડી સામ સામે આવી જતા બબાલ થઇ : ધોકા, ઢીકાપાટુનો માર માર્યો : છ સામે રાવ


જામનગર નજીક વિજરખી પાસે બે ગાડી સામ સામે આવી જતા આ બાબતે બોલાચાલી થઇ હતી દરમ્યાન જામનગરના બાંધકામના ધંધાર્થી પર ધોકા અને ઢીકાપાટુ વડે શખ્સો તુટી પડયા હતા, ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી આ અંગે વિજરખી ગામના છ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ફરીયાદના અનુસંધાને તપાસ ચલાવવામાં આવી છે.


જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે રહેતા બાંધકામના ધંધાર્થી પરાક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.49) તથા જીતેન્દ્રભાઇ ઉર્ફે મુન્નાભાઇ આ બંને ગત તા. 4ના રોજ ક્રિયા ગાડી નં. જીજે18બીઆર-0034 લઇને જતા હતા, દરમ્યાન સ્વીફટ ગાડી નં. જીજે6એફકયુ-4222 સામે આવી જતા બંને વચ્ચે ગાડી લેવા બાબતે બોલાચાલી થઇ હતી.


વિજરખી બસ સ્ટેન્ડ સામેના રોડ પર બોલાચાલી થતા ગાડીની આગળની સીટમાં બેઠેલા એક શખ્સે ધોકો લઇને આવી ફરીયાદી પરાક્રમસિંહને ગોઠણ અને હાથના ભાગે માર માર્યો હતો, દરમ્યાન ફરીયાદી નીચે પડી જતા બંને શખ્સોએ લાકડી અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો ત્યારબાદ બીજા બે આરોપીઓ આવીને તેઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ફરીયાદીની ગાડીના આગળનો કાંચ ધોકો મારીને તોડી નાખ્યો હતો આ હુમલામાં ફરીયાદીને ગોઠ, હાથમાં ઇજા અને નાકમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.


આ બનાવ અંગે પરાક્રમસિંહ જાડેજાએ ગઇકાલે પંચ-એમાં વિજરખી ગામના શૈલેષ ધના લોખીલ, દિનેશ બિજલ લોખીલ, હેમત વશરામ લોખીલ, અશ્ર્વીન ધના લોખીલ, મનસુખ મેરા લોખીલ અને દિનેશ ખેંગાર લોખીલ નામના શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application