જામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ

  • January 24, 2025 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નજીવી બાબતે ટોમી, પાઇપ, લાકડી વડે હુમલા કરાયા : ચારને ઇજા



જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસે બે દિવસ પહેલા સાંજના સુમારે વાહન ઓવરટેક કરવાના મુદે બબાલ થઇ હતી, દરમ્યાનમાં એકબીજાને માર માયર્નિી સામસામી ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા બંને પક્ષની ફરીયાદ નોંધી તપાસ ચલાવવામાં આવી રહી છે.


જામજોધપુરમાં સ્વામીનારાયણ મંદિરની બાજુમાં રહેતા માણશી રાયદેભાઇ સંધીયા (ઉ.વ.55) નામના પ્રૌઢએ ગઇકાલે હમીર લખુ મુંગાણીયા, નાગા લખુ મુંગાણીયા, કિશોર લખુભાઇ, ધવલ નાગા મુંગાણીયાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.


ગામના મીની બસ સ્ટેન્ડ પાસે બે આરોપીઓએ ફરીયાદી માણશીભાઇને પગમાં ટોમી વડે માર મારીને ફ્રેકચર કર્યુ હતું તેમજ ફરીયાદી તથા સાહેદને લાકડીઓ વડે મુંઢ માર માર્યો હતો, આરોપીઓ દ્વારા અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પરિવારને મારી નાખવાની ધમકી દીધી હતી.


સામા પક્ષે જામજોધપુરના સ્વામીનારાયણ મંદિરની પાછળ રહેતા ડ્રાઇવીંગ કરતા કિશોર લખુભાઇ મોવાણીયા (ઉ.વ.34) નામના યુવાનને હાથની આંગળીમાં પાઇપ મારીને ફ્રેકચર કરેલ તથા સાહેદને લાકડી વડે માર મારી માથાના અને કોણીના ભાગે ઇજા પહોચાડેલ ઉપરાંત ફરીયાદી તથા સાહેદને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો.

આરોપીઓ દ્વારા હુમલો કરીને ફરીયાદી તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી આ અંગે કિશોરભાઇ મોવાણીયા દ્વારા જામજોધપુરમાં રહેતા રાજા માણશી સંધીયા, વિશાલ હમીર સંધીયા, કરશન માણશી સંધીયા અને માણશી રાયદે સંધીયા આ ચારની વિરુઘ્ધ અલગ અલગ કલમ મુજબ ફરીયાદ કરવામાં આવી હતી. બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application