ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ભાવનગરનું ૯૫.૮૨ ટકા પરિણામ

  • May 05, 2025 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે ઓનલાઇન જાહેર થયું હતું.જેમાં રાજ્યનું પરિણામ ૮૯.૭૨ ટકા રહ્યું હતું.ભાવનગર જિલ્લાનું પરિણામ ૯૫.૮૨ ટકા જાહેર થયું હતું .ગત વર્ષે ૨૦૨૪માં ૯૫.૫૪ ટકા પરિણામ આવ્યું હતું.આમ,આ વર્ષે ૦.૨૮ ટકા પરિણામ વધુ આવ્યુ હતુ.ભાવનગર શહેરનું પરિણામ ૯૪.૫૯ ટકા રહ્યું હતું.જેમાં ભાવનગર પૂર્વ કેન્દ્રનું ૯૩.૫૮ ટકા જ્યારે ભાવનગર પશ્ચિમ કેન્દ્રનું પરિણામ ૯૫.૬૦ ટકા જાહેર થયું હતું.
વિદ્યાર્થીઓએ સવારે ઓનલાઇન પરિણામ જાહેર થતાં તેમના પરિણામ મેળવ્યા હતા. સારા ટકા મેળવનારા અને સામાન્ય રીતે પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી. પાસ થનારા વિદ્યાર્થીઓ પર અભિનંદનની વર્ષાઓ થઈ હતી. ભાવનગર જિલ્લામાં કુલ ૧૪૯૮૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.  જેમાંથી ૧૪૯૪૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી .જેમાંથી ૧૪૩૧૯ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. એ - ૧ ગ્રેડ ૩૨૭ વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો.જ્યારે ૨૭૭૫ વિદ્યાર્થીઓએ એ - ૨ ગ્રેડ,૪૦૫૧ વિદ્યાર્થીઓએ બી-  ૧ ગ્રેડ,૩૮૦૧ વિદ્યાર્થીઓએ બી - ૨ ગ્રેડ,૨૪૪૪ વિદ્યાર્થીઓએ સી - ૧ ગ્રેડ, ૮૪૮ વિદ્યાર્થીઓએ સી-૨ ગ્રેડ , ૭૦ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ,૩ વિદ્યાર્થીઓએ ઈ -૧ ગ્રેડ મેળવ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના કુલ ૨૦ પરીક્ષા કેન્દ્ર હતા. જેમાં તળાજા તાલુકાના દિહોર પરીક્ષા કેન્દ્રનું પરિણામ સૌથી વધુ ૯૯.૨૨ ટકા રહયું હતું .અત્રે એ નોંધનીય છે કે જિલ્લામાં દિહોર કેન્દ્રનું ગત વર્ષે પણ સૌથી વધુ ૯૯ ટકા પરિણામ આવ્યું હતું.જ્યારે ભાવનગર પૂર્વ કેન્દ્રનું સૌથી ઓછું ૯૪.૧૭ ટકા પરિણામ રહયુ  હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application