ચાઇનીઝ માંજા, નાયલોન, પ્લાસ્ટીકની દોરીઓ અને પ્લાસ્ટિકના પતંગના વેચાણ સંદર્ભે અનેક સ્ટોલમાં ચેકિંગ કરી જરૂરી સુચના અપાઇ
જામનગર શહેરમાં આવતીકાલે મકરસંક્રાંતિના પર્વને લઈને વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ઉપરાંત શહેર જિલ્લાની 5શુપક્ષી માનવ ચિંતક વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાના ભાગરૂપે ઘાયલ પક્ષીઓને સારવાર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહી છે, પરંતુ પ્રજાના રક્ષક પોલીસ સતત પશુ-પક્ષી માનવ સેવક તરીકે ફરજના ભાગે એલર્ટ રહી છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મંગુરભાઇ રાઠોડ સહિત સ્ટાફ તેમજ જામનગર ફોરેસ્ટ રેન્જ ઓફિસર દક્ષાબેન વઘાસીયા, દક્ષાબેન પટેલ, કેતનભાઇ રામાણી અને મહાવીરસિંહ સોઢા સહિતના સ્ટાફ દ્વારા જામનગર શહેરના ખંભાળિયા ગેટ વિસ્તાર, પવનચક્કી વિસ્તાર તેમજ લંઘાવાડના ઢાળીયા, ગુલાબનગર રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
આવતીકાલના મકરસંક્રાતિ પર્વ અંતર્ગત ચાઇનીજ તુકકલ, નાયલોન અથવા અન્ય સીન્થેટીક માંઝા, સીન્થેટીક પદાર્થ થી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડિગ્રેબલ હોય તેવી દોરી, ચાઇનીઝ માંજા, નાયલોન, પ્લાસ્ટીકની દોરીઓ, કાચ પાયેલી દોરીઓ તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરીઓનુ ઉત્પાદન, સંગ્રહ અને વેંચાણ કરતા પંતગના સ્ટોલ વગેરેમાં ચેકીંગ હાથ ધરાયું હતું.
તમામ વિક્રેતાઓને આવું કોઈ પણ પ્રકારનું વેચાણ નહીં કરવા કડક સૂચના અપાઇ હતી. જો કે તમામ સ્થળે ચેકિંગ દરમિયાન આવી કોઈ વસ્તુઓ કબજે કરવામાં આવી નથી. કેટલાક સ્થળો ઉપર જાહેર રોડમાં દોરા તૈયાર થઈ રહ્યા હતાં, તે તમામ સ્થળે પણ કાચ વગરનો ઉપયોગ નહીં કરવા સૂચના અપાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસ્ટ્રોકના દર્દીઓની ધમનીઓમાં માઈક્રો, નેનોપ્લાસ્ટિક્સનું સ્તર 50 ગણું વધારે
April 24, 2025 10:05 AMબીજા વિશ્વયુદ્ધ વખતે ડૂબી ગયેલી સ્ટીમરમાંથી ફોર્ડ વૂડી કાર મળી
April 24, 2025 10:03 AMઆજે દ્વારકા ગોમતી ઘાટ બેઠક ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની પ્રાગટ્ય ઉત્સવ
April 24, 2025 09:56 AMVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech