સાંજે વિશેષ પુજા-પાઠ,ભજન કીર્તન,વરણાગી સહિતના ધાર્મિક કાર્યક્રમો: હાલારના વૈષ્ણવ અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
આજે પૃષ્ટી સંપ્રદાયના સ્થાપક જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય ઉત્સવ દવારકામાં પુ.પા.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલન શ્રી નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર, વેરાવળ, દ્વારકા—બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી) ની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઊજવવામાં આવશે. દ્વારકાના ગોમતી કુંડના બેઠકજીએ મહાપ્રભુજીની આજે સાંજે વરણાગી 5.00 કલાકે કિર્તન મંડળી સાથે વાજતે ગાજતે પ્રસ્થાન થઈ શાક માર્કેટ ચોકથી નવી હવેલીએ પધારશે જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાશે.
બાદમાં વૈષ્ણવ પાઠશાળાના બાળકો તથા શિવણ ક્લાસની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. બાદ વરણાગી નવી હવેલીથી પ્રસ્થાન થઈ ત્રણ બત્તી ચોક,જોધાભા માણેક રોડ થઈ દ્વારકાધીશ મંદિર સન્મુખ થઈ દેવીભૂવન રોડ થઈ પુનઃ બેઠકજી પધારશે જ્યાં આશીર્વાદરૂપે નંદ મહોત્સવ થશે. બાદ નવી હવેલીના કાલિન્દીવહુજી મહારાજ વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે તેમજ વૈષ્ણવોમાં મહાપ્રસાદનું વિતરણ કરાશે.
આ ધાર્મિક અવસરે અગ્રણીઓ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), અનુપમભાઈ બારાઈ , મનસુખભાઈ બારાઈ (ગુરૂપ્રેરણા હોટલ), કિશોરભાઈ પાબારી (ગઢકા), ઈશ્વરભાઈ ઝાખરીયા, ભરતભાઈ મોદી (જામનગર), વજુભાઈ પાબારી (જામનગર), દામભાઈ દાવડા (ભાટીયા), રમેશભાઈ લાલ (ખંભાળીયા), નટુભાઈ દત્તાણી (ભાટીયા), દિપકભાઈ સોનેચા, ધનસુખભાઈ બારાઈ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહેશે.
નવી હવેલી ખાતે આજે કાલિન્દી વહુજી મહારાજના હસ્તે વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક છાશનું વિતરણ કરાવવામાં આવ્યું હતું સાંજે ગોમતી ઘાટ પર બિરાજતાં મહાપ્રભુજીની બેઠકજી ખાતે વિશેષ પાઠ-પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સર્વે વૈષ્ણવોને ઉપસ્થિત રહેવા પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech