- પૂજ્ય શ્રી માધવી વહુજીના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ આયોજનો -
ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી જાણીતી શ્રી સેવાકુંજ હવેલી ખાતે રવિવાર તા. 1 જૂનના રોજ હવેલીના ગોસ્વામી શ્રી માધવી વહુજી મહારાજ શ્રી ના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રવિવારે શ્રી ગોવર્ધનનાથજીને આંબા (કેરી)નો મનોરથ તથા પુરુષોત્તમ શસ્ત્ર અને યમુનાષ્ટકના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેસર સ્નાન, ચરણ સ્પર્શ તેમજ મનોરથ પ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.
આ પ્રસંગે રવિવારે રાત્રે 9:30 વાગ્યાથી અહીંના જાણીતા શ્રીનાથજી કીર્તન કલાક શ્રી ગાયત્રી ગરબા મંડળ દ્વારા આયોજિત શ્રીનાથજી બાવાના આઠ સમાના લાઈવ દર્શનની ઝાંખી પણ સાંઈ આર્ટ (રાજકોટવાળા) ના સંગાથે અત્રે રામનાથ સોસાયટીમાં આવેલા ગણાત્રા હોલ ખાતે યોજવામાં આવેલ છે.
રવિવારે સાંજે 6 થી 7 સુધી દર્શન તેમજ બપોરે 3 થી 6 સુધી પાઠનો અલૌકિક લાભ લેવા વૈષ્ણવ ભાઈઓ-બહેનોને હવેલીના પૂજ્ય શ્રી માધવી વહુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ
June 01, 2025 09:26 PM૧૯૪૭ માં સ્વતંત્રતા પછી ભારતને સૌપ્રથમ કયા દેશે માન્યતા આપી? શું જાણો છો તમે?
June 01, 2025 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech