બનાસકાંઠા સાબરકાંઠા સહિત ગુજરાતના 10 જિલ્લામાં તોફાની પવન અને મેઘ ગર્જના સાથે રવિવારે માવઠું થયા પછી આજે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. માવઠાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગરમી ગાયબ થઈ ગઈ છે. રાજકોટમાં રવિવારે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું હતો તે સિવાય સમગ્ર રાજ્યમાં 40 ડિગ્રી નીચે મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી જૂનાગઢ મોરબી ગીર સોમનાથ કચ્છ અને દીવમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી દાહોદ મહીસાગર પંચમહાલ છોટા ઉદયપુર જિલ્લામાં સતત બીજા દિવસે તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે. માવઠાના આ દિવસો દરમિયાન પવનની ગતિ સરેરાશ 40 થી 50 કિલોમીટરની રહેવા અને અમુક તબક્કે તે 70 કિલોમીટર આસપાસ પહોંચી જવાની ચેતવણી આપવામાં આવી છે.
રવિવારે પાલનપુર વિજાપુર દાંતીવાડા અને વડગામમાં અડધો ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો અને અમુક જગ્યાએ કરા પણ પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. માવઠાને કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં પ્રતિ કલાકના 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને અમુક તબક્કે તેમની ઝડપ વધીને 70 કિલોમીટર સુધી પહોંચી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવા માટે આગામી તારીખ 8 સુધીની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાત ઉપરાંત ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડીસા પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢ દિલ્હી જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડ તેલંગાણા સિક્કિમ બંગાળ આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ કર્ણાટક હિમાલયન તામિલનાડુ અને કેરલામાં પણ તોફાની વરસાદ સાથે પવન પડી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી અનેક સિસ્ટમો અત્યારે કાર્યરત હોવાથી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ ઊભી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરુષનું મૃત્યુ
May 05, 2025 01:46 PMજામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: બે વૃઘ્ધાને હડફેટે લેતા ઇજા
May 05, 2025 01:44 PMટોરોન્ટોમાં હિન્દુ વિરોધી પરેડ યોજાઈ, 8 લાખ લોકોને ભારત પાછા મોકલવાની માંગ
May 05, 2025 01:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech