ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા અનિરુદ્ધસિંહ ગંભીરસિંહ જાડેજાની વાડીએ રહીને મજૂરી કામ કરતા મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ રહીશ એવા અંતરભાઈ થાવરીયાભાઈ મૌર્ય નામના ૩૦ વર્ષના યુવાન ગત તારીખ ૧૨ ના રોજ નાસ્તો કરીને સુતા બાદ તેમના પત્ની રેખાબેને જગાડતા તેઓ ઉઠ્યા ન હતા. જેથી તેઓને મૂર્છિત હાલતમાં અહીંની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ હૃદયરોગનો હુમલો આવી જવાના કારણે અંતરભાઈ મૌર્યનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવની જાણ રેખાબેન અંતરભાઈ મૌર્યએ અહીંની પોલીસને કરી છે.
ખંભાળિયામાં ઓઝા ફળી ખાતે રહેતા મનોજભાઈ શશીકાંતભાઈ કલોલીયા નામના ૫૨ વર્ષના આધેડને ગઈકાલે શુક્રવારે સવારના સમયે પોતાના ઘરે હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર હર્ષ કલોલીયાએ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech