શહેરમાં હાર્ટ અટેકથી મુત્યુના બનાવો રોજ બેરોજ બની રહ્યા છે. આજીડેમ નજીક અમુલ બસ સ્ટેન્ડના રેસ્ટ રૂમમાં સુતેલા કંડકટરનું બેભાન હાલતમાં જ મોત નીપજ્યું હતું. રાત્રે સુતા બાદ હ્દય રોગનો હુમલો આવી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ બનાસકાંઠાના દાતા તાલુકાના કાનગર ગામે રહેતાં અને અંબાજી એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરતાં કનુભાઇ ધુડાભાઇ તરાલ (ઉ.વ.૪૯) બે દિવસ પહેલા રાત્રે અંબાજીથી રાજકોટ આવતી એસટી બસમાં આવ્યા હતાં. બાદમાં રાત્રીના આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક આવેલા એસટી બસ સ્ટેન્ડના રેસ્ટ રૂમમાં આરામ કરવા રોકાયા હતાં. જ્યાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ફરજ પરના તબિબે મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા જરૂરી કાગળો કરી પરિવારજનોને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કનુભાઇ ત્રણ બહેન અને છ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech