રાજકોટમાં નાથદ્વારાથી રિટર્ન મહિલાને કોરોના, શહેરમાં વધુ 7 નવા કેસ મળ્યા, દર્દીઓમાં ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ જોવા મળ્યો, જાણો તેના લક્ષણો

  • June 05, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં તા.૧૯-મે-ના રોજ કોરોનાનો પ્રથમ કેસ મળ્યા બાદ કોરોનાનું સંક્રમણ ઝડપભેર પ્રસરવા લાગ્યું છે, દરમિયાન આજે વધુ સાત કેસ મળ્યા છે જેમાં નાથદ્વારાની યાત્રાએથી પરત ફરેલા મહિલા સહિતનો સમાવેશ થાય છે.


આ વિસ્તારોમાં નવા કેસ મળ્યા

રાજકોટ મહાપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આજરોજ મળેલા સાત કેસની મ્યુનિસિપલ વોર્ડ વાઇઝ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, આજે (૧) વોર્ડ નં.૨ એરપોર્ટ રોડના મારૂતીનગર વિસ્તારમાં ૮૩ વર્ષીય પુરૂષ સંક્રમિત થયા છે જેમની ટ્રાવેલ હિસ્ટ્રી ધરમપુરની છે. (૨) વોર્ડ નં.૧૧માં કાલાવડ રોડ અને મવડી વચ્ચેની અંબિકા ટાઉનશીપમાં ૬૩ વર્ષીય મહિલા સંક્રમિત થયા છે જેઓ તાજેતરમાં જ નાથદ્વારાની યાત્રાએથી પરત ફર્યા હતા. (૩) વોર્ડ નં.૯ના ગણેશ પાર્કમાં ૩૫ વર્ષીય યુવાન (૪) વોર્ડ નં.૩ના સંતોષીનગરમાં ૨૪ વર્ષીય યુવાન (૫) વોર્ડ નં.૮માં ભક્તિધર સોસાયટીમાં ૮૦ વર્ષીય પુરૂષ, (૬) વોર્ડ નં.૮માં રાજહંસ સોસાયટીમાં ૩૦ વર્ષીય યુવાન કે જેની ટ્રાવેલ હિસ્ટ્રી રાજસ્થાનની છે (૭) વોર્ડ નં.૨માં રેસકોર્સ રોડ ઉપર ૪૫ વર્ષીય પુરૂષ કે જેની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. આ તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.


હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ

મ્યુનિ.આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી- છીક દરમિયાન નાક-મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો-મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application