ગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર 

  • June 17, 2025 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય વહીવટમાં આજે એક મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં કેટલાક અધિકારીઓને નવા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.


ગુજરાત સરકારે આજે એક જાહેરનામા દ્વારા સિનિયર IAS અધિકારીઓની મોટા પાયે બદલીઓ અને નવી નિમણૂકોની જાહેરાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન નંબર AIS/35.2025/36/G મુજબ, રાજ્યના વહીવટમાં સુચારુતા લાવવા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આ ફેરફારો કરવામાં આવ્યા છે.


મુખ્ય બદલીઓ અને નિમણૂકો:

ડો. ઓમ પ્રકાશ, IAS (RR:GJ:2016): જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકેથી બદલી કરીને તેમને રાજકોટના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શ્રી પ્રભવ જોશી, IAS (RR:GJ:2014): રાજકોટના કલેક્ટર તરીકેથી બદલી કરીને તેમની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, ગાંધીનગરના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવી છે.


શ્રી આશિષ કુમાર, IAS (RR:GJ:2014): પંચમહાલ-ગોધરાના કલેક્ટર તરીકેથી બદલી કરીને તેમને ડાયરેક્ટર, ટ્રાઈબલ ડેવલપમેન્ટ, ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (D-SAG), ગાંધીનગરના મુખ્ય કાર્યકારી અધિકારીનો વધારાનો હવાલો પણ સંભાળતા રહેશે.



​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application