જામનગર શહેર અને ધ્રોળમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ૧૨ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરના ગોકુલ નગર નજીક પાણાંખાણ શેરી નંબર -૪ માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા મુકેશ કરમશીભાઈ સોલંકી, મેહુલ નરેશભાઈ સવનિયા, અરવિંદ કરણભાઈ ચાવડા, રાકેશ રમેશભાઈ લીલાપરા, રાજુભાઈ કરણભાઈ ચાવડા, અને સંજય અશોકભાઈ વાઘોણાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૧,૫૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગે નો બીજો દરોડો ધ્રોળ તાલુકાના ધરમપુર ગામની સીમમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા ભીખાભાઈ શામજીભાઈ વાઘેલા, જીતેન્દ્ર મનસુખલાલ જોતાપર, ભાવેશ પુનાભાઈ અગેસાણીયા, સંજય બાબુભાઈ તરાવિયા, દિલીપ નાનકુભાઈ સંગાડા, અને કિશોર જેસીંગભાઇ બારોટ વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૭,૩૧૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech